મિત્રો,આવી અસંખ્ય ડોક્યુમેન્ટ્રીઓ સરળતાથી ઇન્ટરનેટના માધ્યમથી જોઇ શકાય છે પરંતુ તેમાં આપવામાં આવતા સંદેશનો આપણે બહું ઓછા સ્વીકાર કરીએ છીએ, પરંતુ એક વાત શિખવા જેવી જરૂર છે કે, ભલે આપણે ધનવાન હોઇએ કે છાશવારે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જઇએ ત્યારે ક્યારેય આપણી થાળીમાં પડેલ અન્નનો બગાડ ક્યારેય ના કરીએ અને જો તે ખોરાક વધારે માત્રામાં છે તો તરત જ તેને પાર્સલ કરાવીને કોઇ ભૂખ્યાની આંતરડી ઠારીએ કારણ કે અંતે તો આપણી પરંપરા છે ને જ્યાં અન્નનો ટુકડો,ત્યા હરિ ઢુકડો